પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમીતે સેવા પખવાડીયા અંતર્ગત મેગા સર્વરોગ નિદાન કેમ્પ

હિન્દ ન્યુઝ, જામનગર

સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર હરીયા કોલેજ ખાતે નિઃશૂલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન નિષ્ણાંત ડોકટરો દ્વા૨ા નિદાન અને નિઃશૂલ્ક દવાઓ

જામનગર જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદશ્રી પૂનમબેન માડમ તેમના વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે લોકોને કોઈને કોઈ રીતે સહાયરૂપ થઈ સેવાકીય કાર્યો અવીરત પણે કરતા આવ્યા છે. ગત વર્ષે ૨ દિવસ માટે જામનગર ખાતે નિઃશૂલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયેલ હતો તે જ રીતે ચાલુ વર્ષે પણ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ના ૭૩ માં જન્મદિવસ નિમિતે સેવા પખવાડીયા અંતર્ગત આગામી તા.૨૩/૦૯/૨૦૨૩ શનિવારના રોજ હરીયા કોલેજ, ગોકુલનગર, જામનગર ખાતે સમય સવારના ૯.૦૦ થી સાંજે : ૬.૦૦ કલાક સુધી સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજીત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયેલ છે. જામનગર– દેવભૂમિ દ્વારકા જીલ્લાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજીત આ સર્વરોગ નિદાન કેમ્પમાં નામાંકિત નિષ્ણાંત ડોકટરો દ્વારા રોગનું નિદાન કરી જરૂરી દવાઓ નિઃશૂલ્ક પુરી પાડવામાં આવશે. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment